લેબલ બી.એડ્. (B.Ed.) ટૂંકા પ્રશ્નો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બી.એડ્. (B.Ed.) ટૂંકા પ્રશ્નો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 16 ઑક્ટોબર, 2018

C101 Most IMP 8 QUESTION (પરીક્ષામાં પૂછાય તેવા ૮ પ્રશ્નો)


(૧)  વર્તનવાદ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા માનો વૈજ્ઞાનિકોના નામ આપો. 
➤ હેથ, મિલર, ડોલાર્ડ, માવરર, સ્પેન્સ, પોસ્ટમેન, અંડરવુડ, ઓસગુડ, સ્ટાટ્સ વગેરે ઉપરાંત સીમાસ્થંભ સમાન વોટ્સન, ગુથી, ટોલમેન હલ અને સ્કીનરના નામો મહત્વના ગણાવી શકાય. 

(૨) સામાજીકીકરણની બે વ્યાખ્યા આપો. 
➤ "સામાજીકીકરણ એવી પ્રક્રિયા છે, જેના દ્વારા મનુષ્ય તેના પર્યાવરણ સાથે અનુકૂળ થાય છે અને પોતે પર્યાવરણના સ્વીકૃત, સહકારયુક્ત અને કાર્યક્ષમ સભ્ય બને છે"    - ડ્રેવર 
➤પોતાના સમાજના સભ્યોના જેવુ વર્તન અને વિચારતા શીખવાની પ્રક્રિયા એટલે સામાજીકીકરણ" - ઝૂબેલ સોલબર્ગ

(૩) વૃદ્ધિ અને વિકાસના બે તફાવતો જણાવો. ?
➤વૃદ્ધિ-વૃદ્ધિ પરિપકવતા સિધ થતાં અટકી જાય છે. ➤વિકાસ- વિકાસ એ આજીવન પ્રક્રિયા છે. 
➤વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં જ થાય છે. ➤વિકાસ-વિકાસની શક્યતા અમર્યાદિત છે.

(૪) અધ્યાનના ક્ષેત્રમાં વિખ્યાત એવા આંતરસૂઝનો પ્રયોગ કોને આપ્યો છે ?
➤ વોન્ફગેંગ કોહલર - ચિમ્પાન્ઝી પરના પ્રયોગને કારણે પ્રખ્યાત - અન્ય જર્મન વૈજ્ઞાનિકો કોફકા, વર્ધીમેર.

(૫) કારક અભિસંધાનનો પ્રયોગ કોને આપ્યો છે ? 
➤ બુરહાસ ફ્રેડરિક સ્કીનર - ૧૯૦૪ થી ૧૯૯૦ - ઉંદર પર પ્રયોગ.

(૬) મનોવિજ્ઞાનની બે વ્યાખ્યાઓ આપો. 
➤ "મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે." - એન. એલ. મન 
➤ "મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે." - મોર્ગન અને કિંગ

(૭) શૈક્ષણિક મનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો. 
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિઓમાં થતાં માનવવર્તન સાથે સંબંધિત છે." - સ્કીનર 
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રયોગસિદ્ધ આધારભૂત પાયો છે." - આર્થર સી. કોલાડર્શી

(૮) બાળમનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો. 
➤ "બાળમનોવિજ્ઞાન એ જન્મથી પુખ્તાવસ્થા સુધી માનવના વિકાસનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની શાખા છે." - જેમ્સ ડ્રેવર 
➤ "બાળમનોવિજ્ઞાન એ બાળકોના વર્તન અને મનોવૈજ્ઞાનિકવિકાસનોઅભ્યાસ કરતાં વિજ્ઞાનને માટે વપરાતો શબ્દ છે" - જી.જી.થોમ્પ્સન

સોમવાર, 15 ઑક્ટોબર, 2018

મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ : (Some Definitions of Psychology)

"મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે."
                                                                                          - મોર્ગન અને કિંગ

"મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિનીપ્રવૃતિઓનોવૈજ્ઞાનિકઅભ્યાસ છે."
                                                                                                                                  - વૂડવર્થ

"મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે."
                                                               - એન. એલ. મન

"મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે."
                                                                   - ઈ. વૉટસન

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...