(૧) વર્તનવાદ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા માનો વૈજ્ઞાનિકોના નામ આપો.
➤ હેથ, મિલર, ડોલાર્ડ, માવરર, સ્પેન્સ, પોસ્ટમેન, અંડરવુડ, ઓસગુડ, સ્ટાટ્સ વગેરે ઉપરાંત સીમાસ્થંભ સમાન વોટ્સન, ગુથી, ટોલમેન હલ અને સ્કીનરના નામો મહત્વના ગણાવી શકાય.
(૨) સામાજીકીકરણની બે વ્યાખ્યા આપો.
➤ "સામાજીકીકરણ એવી પ્રક્રિયા છે, જેના દ્વારા મનુષ્ય તેના પર્યાવરણ સાથે અનુકૂળ થાય છે અને પોતે પર્યાવરણના સ્વીકૃત, સહકારયુક્ત અને કાર્યક્ષમ સભ્ય બને છે" - ડ્રેવર
➤પોતાના સમાજના સભ્યોના જેવુ વર્તન અને વિચારતા શીખવાની પ્રક્રિયા એટલે સામાજીકીકરણ" - ઝૂબેલ સોલબર્ગ
(૩) વૃદ્ધિ અને વિકાસના બે તફાવતો જણાવો. ?
➤વૃદ્ધિ-વૃદ્ધિ પરિપકવતા સિધ થતાં અટકી જાય છે. ➤વિકાસ- વિકાસ એ આજીવન પ્રક્રિયા છે.
➤વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં જ થાય છે. ➤વિકાસ-વિકાસની શક્યતા અમર્યાદિત છે.
(૪) અધ્યાનના ક્ષેત્રમાં વિખ્યાત એવા આંતરસૂઝનો પ્રયોગ કોને આપ્યો છે ?
➤ વોન્ફગેંગ કોહલર - ચિમ્પાન્ઝી પરના પ્રયોગને કારણે પ્રખ્યાત - અન્ય જર્મન વૈજ્ઞાનિકો કોફકા, વર્ધીમેર.
(૫) કારક અભિસંધાનનો પ્રયોગ કોને આપ્યો છે ?
➤ બુરહાસ ફ્રેડરિક સ્કીનર - ૧૯૦૪ થી ૧૯૯૦ - ઉંદર પર પ્રયોગ.
(૬) મનોવિજ્ઞાનની બે વ્યાખ્યાઓ આપો.
➤ "મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે." - એન. એલ. મન
➤ "મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે." - મોર્ગન અને કિંગ
(૭) શૈક્ષણિક મનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો.
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિઓમાં થતાં માનવવર્તન સાથે સંબંધિત છે." - સ્કીનર
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રયોગસિદ્ધ આધારભૂત પાયો છે." - આર્થર સી. કોલાડર્શી
(૮) બાળમનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો.
➤ "બાળમનોવિજ્ઞાન એ જન્મથી પુખ્તાવસ્થા સુધી માનવના વિકાસનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની શાખા છે." - જેમ્સ ડ્રેવર
➤ "બાળમનોવિજ્ઞાન એ બાળકોના વર્તન અને મનોવૈજ્ઞાનિકવિકાસનોઅભ્યાસ કરતાં વિજ્ઞાનને માટે વપરાતો શબ્દ છે" - જી.જી.થોમ્પ્સન
No comments:
Post a Comment