પ્રસ્તાવના
આજ સુધી એવી પ્રણાલી ચાલતી આવી છે શિક્ષક
બોલે ને વિદ્યાર્થી સાંભળે, પરંતુ શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતા સાંભળવાને વધુ
મહત્વ આપવું જોઈએ. જો શિક્ષક અને વિદ્યાર્થી બન્ને આંતરવ્યવહાર થશે તો યોગ્ય
વાતાવરણ સર્જાય છે. જો બાળક વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે એક
મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલ અવાજે અને ગુંગળાયેલા શ્વાસે વર્ગખંડમાં જીવે છે.
શિક્ષણની પ્રક્રિયા જ્યાં સુધી દ્રિમાર્ગીય ન બને ત્યાં સુધી સાચા અર્થમાં
શૈક્ષણિક કાર્ય થતું નથી, વિદ્યાર્થી યોગ્ય પ્રમાણમાં પામી શકતાં નથી. જે શિક્ષક
વર્ગમાં ઓછામાં ઓછું બોલે અને વિદ્યાર્થીને વધુના વધુ બોલવા દે તે સારો શિક્ષક.
® પ્રારંભ :
લેખનું શીર્ષક : “શિક્ષકે
વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્વ આપવું જોઈએ.”
લેખકનું નામ : ડૉ. અશોક
પટેલ
કોલમનું નામ : કેળવણીના
કિનારે
વર્તમાન પત્રનું નામ :
સંદેશ
લેખ પ્રકાશિત થયાની તારીખ : ૧૫/૦૯/૨૦૨૧
પૃષ્ઠ નંબર : ૦૮
સારાંશ :-
પ્રસ્તુત લેખમાં વર્ગખંડની કે વર્ગખંડ બહાર વિદ્યાર્થીઓને પોતાનો અવાજ
નહિ પણ રજૂ કરવાની પૂરતી આઝાદી તો હોવી જ જોઈએ.તેની રજૂઆત કરવામાં આવી છે.
શીર્ષકને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. ક્યાંય પણ વિષયાંતર થતું જોવા મળતું નથી.
લેખકે
વિદ્યાર્થીની આઝાદી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેખમાં લેખકની અનાત્મલક્ષિતા
જોવા મળતી નથી. પ્રસ્તુત લેખમાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.
લેખ પ્રમાણમાં લાંબો છે પરંતુ સમગ્ર બાબતને
ધ્યાનમાં લેવામાં આવી છે. લેખ સ્પષ્ટ અને સચોટ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.
વર્ગખંડમાં
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરવ્યવહાર થાય છે. આ વ્યવહારમાં બન્ને પક્ષની
સક્રિયતા જરૂરી નહિ પણ અનિવાર્ય છે. બન્ને પક્ષમાંથી એક પણ પક્ષની નિષ્ક્રિયતા
હેતુ સિદ્ધિ માટે બમ્પરનું કામ કરે છે.
આજના
વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલા
અવાજે અને ગુંગળાયેલા શ્વાસે વર્ગખંડમાં જીવે છે. શિક્ષકને વર્ગખંડના રાજા કહ્યા
છે, પણ તેનો અર્થ એ નથી કે શિક્ષક રાજા અને વિદ્યાર્થીઓ સિપાહી.
શિક્ષકો
પાસથી સાંભળવા મળે છે કે, વિદ્યાર્થીઓ અમારું સાંભળતા નથી, અમારા કહ્યામાં નથી,
અમારું માનતા નથી, સ્વછંદી બની ગયા છે ત્યારે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય કે શિક્ષક
વિદ્યાર્થીઓનું કેટલું સાંભળે છે.
સારા પાસાં :-
F પ્રસ્તુત લેખનું શીર્ષક સ્પષ્ટ અને આકર્ષક છે.
F શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવેગાત્મક સંબંધ હશે તો જ જ્ઞાનાત્મક
સંબંધ સ્થાપાશે અને ટકશે. પ્રસ્તુત લેખમાં શિક્ષક અને વિદ્યાર્થીના સારા સંબંધને
અનુરૂપ આલેખન કરવામાં આવ્યું છે.
F પ્રસ્તુત લેખમાં લેખકે પોતાના અનુભવ પ્રમાણે શીર્ષકને બરાબર આપ્યો
છે.
F વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજાય તેવી સરળ અને સ્પષ્ટ ભાષાશૈલીમાં
આલેખન કરવામાં આવ્યું છે.
F શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ લેખ ખુબ જ મહત્વનો છે, આ લેખમાં
શિક્ષક અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને લખવામાં આવ્યો છે.
F વર્ગને સ્વર્ગ બનાવવા માટે વિદ્યાર્થીઓને વધુમાં વધુ બોલવા દો.
F જે શિક્ષક વર્ગમાં ઓછામાં ઓછુ બોલે અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ
બોલવા દે તે સારો શિક્ષક. સુસ્પષ્ટ ભાષામાં શિક્ષક, વિદ્યાર્થી અને વર્ગખંડને
ધ્યાને લઈ એક લખાવમાં આવ્યો છે, પ્રવર્તમાન શિક્ષકો માટે પેરણારૂપ બની રહેશે.
નરસાં પાસા :-
F પ્રસ્તુત લેખમાં આજના વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે
એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલ અવાજે અને ગુંગળાયેલ શ્વાસે વર્ગખંડમાં જીવે છે એવું
કહેવામાં આવ્યું છે.
F પ્રસ્તુત લેખમાં વર્ગનો રાજા એવો શિક્ષક પણ કરે તેમ, મૂંગા મોઢે,
ઉહાકારો બોલાવ્યા સિવાય વિદ્યાર્થીઓને કરવું પડે છે. આ વાક્ય આજના સંદર્ભમાં યોગ્ય
નથી.
F પ્રસ્તુત લેખમાં “આજનો વર્ગખંડ સ્વર્ગ નહિ પણ નર્ક જેવો લાગે છે.” એવા કટાક્ષો કરવામાં આવ્યા છે, તે યોગ્ય નથી.
F પ્રસ્તુત લેખ ખુબ જ લાંબો છે.
સમીક્ષકના મતે :
શિક્ષકને વર્ગખંડનો રાજા કહ્યો છે, પણ એનો એ
અર્થ નથી કે વિદ્યાર્થી સિપાહી બને અને કોઈપણ જાતના શબ્દ કે ઊહકારો બોલાવ્યા સિવાય
રાજા કહે તેમ કરવું જ પડે. જો આવું થશે તો વર્ગખંડ ક્યારેય સ્વર્ગ નહિ બની શકે. એટલે
આજના શિક્ષકે વિદ્યાર્થીઓને પણ સાંભળવું જોઈએ અને તેમને મહત્વ આપવું જોઈએ. તેથી શિક્ષકકેન્દ્રી
અને વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ સારી રીતે વર્ગખંડમાં પીરસી શકાય છે.
સંદર્ભ સૂચિ :-
પટેલ
ડૉ. અશોક. (2021, September 15). શિક્ષકે
વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્વ આપવું જોઈએ. સંદેશ, pp.
8–8.
No comments:
Post a Comment