Monday, June 26, 2023

દેશમાં ૫૫ મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. (સમીક્ષા લેખ)

 

પ્રસ્તાવના :

     આજે આપણાં કાને એક શબ્દ દરરોજ સંભળાય છે, તે છે આત્મહત્યા. સમાજ માટે આ એક ચિંતાનો વિષય છે. પરીક્ષાના ભયભિત થઈને નાની વયના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. ઓછા ગુણ અને નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પગલા માંડે છે. આજે દેશમાં આત્મહત્યાના કેસો વધ્યા છે. એ આંકડા પ્રમાણે ભારતમાં દર ૫૫ મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે.

     વર્તમાન પત્રોમાં આવતા સમાચાર નગરો હોય કે મહાનગરોમાં રહેતા ધોરણ-૧૦-૧૨નાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેવાના સમાચાર વધારે પ્રમાણમાં આવે છે, કારણ એટલું જ હોય છે કે એક વિષયમાં નાપસ થવાના કારણે હતાશાથી આત્મહત્યા કરી લીધી. આવા તો અનેક કેસો બને છે. આ વિદ્યાર્થીઓના આત્મહત્યા પાછળના અનેક કારણો છે. અભ્યાસ માટે દબાણ, ઓછા ગુણ આવવા, અથવા નાપાસ થવાનો ડર આત્મવિશ્વાસની ઉણપ વગેરે.

 

 

“દેશમાં ૫૫ મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે.”

 

 

પ્રારંભ :

લેખનું શીર્ષક : “દેશમાં ૫૫ મિનિટે એક વિધાર્થી આત્મહત્યા કરે છે.”

લેખકનું નામ : દેવેન્દ્ર પટેલ  

વર્તમાનપત્રનું નામ : સંદેશ

કોલમનું નામ : અનુસંધાન (એડિટોરિયલ)

લેખ પ્રકાશિત થયાની તારીખ : ૦૫/૧૦/૨૦૨૧   

પૃષ્ઠ નંબર : ૧૦

સારાંશ :

     પ્રસ્તુત લેખમાં એ દર્શાવવામાં આવ્યું છે કે બાળકો ક્યા કારણોસર આત્મહત્યા કરે છે. પ્રવર્તમાન સમયના આ ગંભીર વિષયને વાચા આપવામાં આવી છે. શીર્ષક અનુસાર તમામ બાબતો દર્શાવવામાં આવી છે. શીર્ષકને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. ક્યાંય પણ વિષયાંતર થતું જોવા મળતું નથી.

     લેખકે વર્તમાન સમયની સમસ્યા આત્મહત્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેખમાં લેખકની અનાત્મલક્ષિતા જોવા મળતી નથી. પ્રસ્તુત લેખમાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.

     લેખ પ્રમાણમાં લાંબો છે, પરંતુ સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. લેખ સ્પષ્ટ અને સચોટ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.

     સમાજ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે, આત્મહત્યા. પરીક્ષા આવે છે તો પરીક્ષાના ડરથી નાની વયના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે કોઈ માતા તેની દીકરીને મોડી રાત સુધી ગરબામાં જવાની નાં પાડે તો દીકરી આત્મહત્યા કરી લે છે. ઓછા ગુણ આવે તો પણ વિધાર્થી આત્મહત્યા કરી લે છે. કોઈ યુવક-યુવતી પ્રેમલગ્ન કરે અને માતા-પિતાનો વિરોધ હોય તો હોટેલના રૂમમાં જઈ ઝેર પી લે છે.

     આજના સમયમાં ખાસ કરીને યુવક-યુવતીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા છે. અને આર. બી.ના આંકડા પ્રમાણે દેશમાં દર ૫૫ મિનિટે એક વિધાર્થી આત્મહત્યા કરે છે.

     આત્મહત્યાના જે કારણો દર્શાવવામાં આવ્યા છે તેમાં વધુ મહેનત કરી ભણવા માટે કરાતું દબાણ, બેરોજગારી, પરીક્ષામાં નાપાસ થવાના ભય, એકાંકીપણું, નોકરી ધંધામાં અત્યંત વ્યસ્ત રહેતાં માતા-પિતા અને પ્રેમપ્રસંગો જવાબદાર છે. આ ઉપરાંત માતા-પિતા પોતાના બાળક પાસે વધુ અપેક્ષા રાખે છે, બાળકની આત્મીયતા અને અભિરૂચી જાણ્યા વગર જ.

     પ્રસ્તુત લેખમાં એ દર્શાવવામાં આવ્યું છે કે બાળકો ક્યા કારણોસર આત્મહત્યા કરે છે. પ્રવર્તમાન સમયના આ ગંભીર વિષયને વાચા આપવામાં આવી છે. શીર્ષક અનુસાર તમામ બાબતો દર્શાવવામાં આવી છે. શીર્ષકને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. ક્યાંય પણ વિષયાંતર થતું જોવા મળતું નથી.

     લેખકે વર્તમાન સમયની સમસ્યા આત્મહત્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેખમાં લેખકની અનાત્મલક્ષિતા જોવા મળતી નથી. પ્રસ્તુત લેખમાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.

     લેખ પ્રમાણમાં લાંબો છે, પરંતુ સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. લેખ સ્પષ્ટ અને સચોટ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.

સારા પાસાં :

F પ્રસ્તુત લેખનું શીર્ષક સ્પષ્ટ આકર્ષક છે.

F પ્રસ્તુત લેખની ભાષા ગુજરતી છે, પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં આલેખન કરવામાં આવ્યું છે.  

F પ્રસ્તુત લેખના શીર્ષક અનુસાર જ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે.   

F પ્રસ્તુત લેખમાં પ્રવર્તમાન સમસ્યાને અનુરૂપ લેખ લખવામાં આવ્યો છે.  

F પ્રસ્તુત લેખમાં વિવિધ મહાપુરુષોના ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવી છે.

F પ્રસ્તુત લેખ વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન બની રહેશે તેવી રીતના આલેખન કરવામાં આવ્યું છે.

નરસાં પાસા :

F પ્રસ્તુત લેખમાં અંગ્રેજી શબ્દોને કૌસમાં લખવા જોઈએ તે આ લેખમાં જોવા મળતું નથી.  

F એક સર્વે પ્રમાણે મુંબઈમાં ભણતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના આંકડા બીજા શહેરો કરતા વધુ છે. પ્રસ્તુત લેખમાં લેખકે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના આંકડા દર્શાવ્યા છે તે ના દર્શાવા જોઈએ.  

F પ્રસ્તુત લેખમાં એક આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીના નામનો ઉલેખ કરવામાં આવ્યો છે તે ના હોવું જોઈએ.

F પ્રસ્તુત લેખમાં જે માહાપુરુષોના ઉદાહરણો આપવામાં આવ્યા છે, એ અવતરણ ચિન્હમાં લખવા જોઈએ, તે અહી સ્પષ્ટ જોવા મળતું નથી.

સમીક્ષકના મતે :

     વર્તમાન સમયનો આત્મહત્યા એ સળગતો પ્રશ્ન છે. તેને રોકવા માટે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ. જેથી આત્મહત્યાનો દર ઘટાડી શકાય. કારણ કે, આજનાં  વિદ્યાર્થીઓ આપણા દેશનું ભાવિ છે એટલે આપણા દેશનું ભાવિ બચાવવું એ આપણી મુખ્ય ફરજ છે. બાળકો આપણી અમૂલ્ય સંપતિ છે. તેમને જીવન ટૂંકાવતા રોકો.

સંદર્ભ સૂચિ :

પટેલ દેવેન્દ્ર. (2021, October 5). દેશમાં દર 55 મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. સંદેશ, pp. 10–10.

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...