Tuesday, October 16, 2018

C101 Most IMP 8 QUESTION (પરીક્ષામાં પૂછાય તેવા ૮ પ્રશ્નો)


(૧)  વર્તનવાદ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા માનો વૈજ્ઞાનિકોના નામ આપો. 
➤ હેથ, મિલર, ડોલાર્ડ, માવરર, સ્પેન્સ, પોસ્ટમેન, અંડરવુડ, ઓસગુડ, સ્ટાટ્સ વગેરે ઉપરાંત સીમાસ્થંભ સમાન વોટ્સન, ગુથી, ટોલમેન હલ અને સ્કીનરના નામો મહત્વના ગણાવી શકાય. 

(૨) સામાજીકીકરણની બે વ્યાખ્યા આપો. 
➤ "સામાજીકીકરણ એવી પ્રક્રિયા છે, જેના દ્વારા મનુષ્ય તેના પર્યાવરણ સાથે અનુકૂળ થાય છે અને પોતે પર્યાવરણના સ્વીકૃત, સહકારયુક્ત અને કાર્યક્ષમ સભ્ય બને છે"    - ડ્રેવર 
➤પોતાના સમાજના સભ્યોના જેવુ વર્તન અને વિચારતા શીખવાની પ્રક્રિયા એટલે સામાજીકીકરણ" - ઝૂબેલ સોલબર્ગ

(૩) વૃદ્ધિ અને વિકાસના બે તફાવતો જણાવો. ?
➤વૃદ્ધિ-વૃદ્ધિ પરિપકવતા સિધ થતાં અટકી જાય છે. ➤વિકાસ- વિકાસ એ આજીવન પ્રક્રિયા છે. 
➤વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં જ થાય છે. ➤વિકાસ-વિકાસની શક્યતા અમર્યાદિત છે.

(૪) અધ્યાનના ક્ષેત્રમાં વિખ્યાત એવા આંતરસૂઝનો પ્રયોગ કોને આપ્યો છે ?
➤ વોન્ફગેંગ કોહલર - ચિમ્પાન્ઝી પરના પ્રયોગને કારણે પ્રખ્યાત - અન્ય જર્મન વૈજ્ઞાનિકો કોફકા, વર્ધીમેર.

(૫) કારક અભિસંધાનનો પ્રયોગ કોને આપ્યો છે ? 
➤ બુરહાસ ફ્રેડરિક સ્કીનર - ૧૯૦૪ થી ૧૯૯૦ - ઉંદર પર પ્રયોગ.

(૬) મનોવિજ્ઞાનની બે વ્યાખ્યાઓ આપો. 
➤ "મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે." - એન. એલ. મન 
➤ "મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે." - મોર્ગન અને કિંગ

(૭) શૈક્ષણિક મનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો. 
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિઓમાં થતાં માનવવર્તન સાથે સંબંધિત છે." - સ્કીનર 
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રયોગસિદ્ધ આધારભૂત પાયો છે." - આર્થર સી. કોલાડર્શી

(૮) બાળમનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો. 
➤ "બાળમનોવિજ્ઞાન એ જન્મથી પુખ્તાવસ્થા સુધી માનવના વિકાસનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની શાખા છે." - જેમ્સ ડ્રેવર 
➤ "બાળમનોવિજ્ઞાન એ બાળકોના વર્તન અને મનોવૈજ્ઞાનિકવિકાસનોઅભ્યાસ કરતાં વિજ્ઞાનને માટે વપરાતો શબ્દ છે" - જી.જી.થોમ્પ્સન

Monday, October 15, 2018

મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ : (Some Definitions of Psychology)

"મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે."
                                                                                          - મોર્ગન અને કિંગ

"મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિનીપ્રવૃતિઓનોવૈજ્ઞાનિકઅભ્યાસ છે."
                                                                                                                                  - વૂડવર્થ

"મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે."
                                                               - એન. એલ. મન

"મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે."
                                                                   - ઈ. વૉટસન

Thursday, October 11, 2018

!! ક્ષેત્રકાર્યનો અર્થ અને વ્યાખ્યા !!


૧.૨ ક્ષેત્રકાર્યનો અર્થ અને વ્યાખ્યા :-

➽ ક્ષેત્રકાર્યનો અર્થ :-

     ક્ષેત્રકાર્ય એટલે જે તે સ્થળ પર જઈને કોઈ વિષયનાં સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય સ્થાનિક સર્વેક્ષણ એ એક પ્રકારનું ક્ષેત્રકાર્ય ગણાય છે. શિક્ષણમાં વિદ્યાર્થીઓમા પ્રાયોગિક કામનું સામાન્ય વિજ્ઞાન જેટલું જ મહત્વ છે. વિદ્યાર્થીઓ નિરીક્ષણ, માપન, વાંચન, રેખાંકન, સંગ્રહ વગેરે પ્રવૃતિ દ્વારા વિવિધ વિષયોનું હાર્દ પામે તે ખૂબ જ આવશ્યક છે. વિવિધ વિષયોનું વૈજ્ઞાનિક જ્ઞાન આપવા માટે તેના અભ્યાસક્રમમાં ક્ષેત્રકાર્યને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. જેમ વિજ્ઞાનનાં મૂલ્યો તેના પ્રયોગો સિવાય સમજી ન શકાય તેમ વિવિધ વિષયોમાં પણ ક્ષેત્રકાર્ય સિવાય કેટલાંક ખ્યાલો સમજી ન શકાય. 


➽ દા.ત :-

§              ➜ સ્થાનિક કે આજુબાજુના કારખાનાની મુલાકાત.
§                     શાળાની મુલાકાત.

§              ➜ ડેરીની મુલાકાત, દૂધનું પ્રમાણ, દૂધની બનાવટો, અનુકૂળ સંજોગોની માહિતી મેળવવી.
§               ➜  વિવિધ ટેકનીકલ સંસ્થાની મુલાકાત.

§               ➜ વૃદ્ધાશ્રમની મુલાકાત અને તેનો અભ્યાસ.

ક્ષેત્રકાર્યની વ્યાખ્યા :-

   ➤ “જે તે સ્થળ પર જઈને કોઈ વિષયનાં સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય એટલે ક્ષેત્રાકાર્ય.”

 ➤ “જે તે સંસ્થાનું પ્રત્યક્ષ વલોકન કરી તેના આધારે ચોક્કસ તારણો તારવવાની પ્રક્રિયા એટલે ક્ષેત્રકાર્ય.”

➤  “જે તે ક્ષેત્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડવાની પ્રવિદ્યી એટલે ક્ષેત્રકાર્ય.”

પ્રસ્તાવના : ક્ષેત્રકાર્ય (FIELD WORK)


પ્રકરણ - ૧ પૂર્વભૂમિકા

ક્ષેત્રકાર્ય (FIELD WORK)


૧.૧ પ્રસ્તાવના :-

     શિક્ષણમાં ક્ષેત્રકાર્ય અથવા ક્ષેત્રનુભાવ માટે વિશાળ તકો અને સંભાવનાઓ છે. વિવિધ વિષયોને લગતા જ્ઞાન, માહિતી સમજના અનુભવની પ્રાપ્તિ માટે જે તે સ્થળ, સંસ્થા, વિસ્તાર ઔધોગિક એકમની (ક્ષેત્રની) મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે. આ રીતે ક્ષેત્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ ક્ષેત્ર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની પ્રક્રિયાને ક્ષેત્રકાર્ય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓના અવલોકન દ્વારા જ્ઞાન મેળવીને સમજવાનો પ્રયત્ન જાતે જ કરે છે. 

     વિવિધ વિષયોના ક્ષેત્રકાર્ય ખૂબ જ મહત્વનુ સ્થાન ધરાવે છે જેમ કે, અર્થશાસ્ત્રમાં વિવિધ આર્થિક પ્રવૃતિઓની જટિલતાને સમજવા માટે તથા ખેતી, ઉદ્યોગ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વાણિજયા વગેરેનાં પ્રશ્નોથી અને પ્રવર્તમાન પ્રવાહોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ક્ષેત્રકાર્ય આવશ્યક જરૂરી છે. નામનાં મૂળતત્વો વિષયમાં વિદ્યાર્થીને સૈદ્ધાતિંક જ્ઞાનને વ્યાવહારીક અને જીવંત જ્ઞાનની ભૂમિકા પૂરી પાડવા માટે ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. સમાજવિદ્યા માનવવ્યવહાર માનવ-સંબંધો અને માનવ-પ્રવૃતિઓ સાથે વિશેષ સંબંધ ધરાવે છે. તેવી જ રીતે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયો પણ માનવ માનવવ્યવહાર અને માનવીય ગુણો સાથે સંકળાયેલા છે. પ્રયોગો વિના વિજ્ઞાનની સંકલ્પનાઓ સ્પષ્ટ થાય જ નહીં આમ, ક્ષેત્રકાર્ય એ એક પ્રકારનું પ્રાયોગિક કાર્ય જ બની રહે છે.   

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...