Tuesday, September 4, 2018

૫ સપ્ટેમ્બર શિક્ષક દિન (5th Teachers Day)


     રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં ૧૬ વર્ષની ઉમરમાં એમના વિવાહ સીવાકામું સાથે થયા તે સમયે સીવાકામુંની ઉમર ૧૦ વર્ષની હતી. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમને સાથે રહેવાની શરૂઆત કરી હતી. 

     ૧૯૦૬માં મદ્રાસ કૉલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતું. મહાત્મા ગાંધી સાથે પ્રથમ મુલાકાત ૧૯૧૫માં થઈ. જુલાઇ ૧૯૧૮માં મૈસૂર પ્રવાસ દરમિયાન રવિન્દ્રનાથ ટાગોર સાથે એમાંની મુલાકાત થઈ તે મુલાકાતથી તેઓ ટાગોરથી ખૂબ જ પ્રભાવિત થયા. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમને ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમને કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો કાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯ થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભરતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. 

     ડૉ. સર્વોપલ્લી રાધાક્રુષ્ણનને લાંબી બીમારી બાદ ૧૭ એપ્રિલ ૧૯૭૫ના દિવસે સવારમાં એંટિમાં શ્વાસ લીધા. મિત્રો, ૫મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. શિક્ષક દિને સાડી ક ઝભ્ભો-કુર્તો પહેરવાનો અને એક દિવસ માટે શિક્ષક બની જવાનું. બહુ મજા આવે નહીં ? પણ તમને ખબર છે શિક્ષક દિન કોના માનમાં ઉજવવામાં આવે છે ? આપડા પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બાદમાં રાષ્ટ્રપતિ બનેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે. 

     જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાક્રુષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી રકમ તેમને યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડૉ. રાધાક્રુષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.


-     ભાભોર સમેશ ટી. બી.એડ્ – સેમ – ૧ વિવેકાનંદ કૉલેજ ફોર બી.એડ્ સુરત.

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...