➤ ક્ષેત્રકાર્યનું મહત્વ (Field Work)
⟶ શિક્ષણમાં ક્ષેત્રકાર્યની અગત્યતા ઘણી છે. તેના આયોજન અને અમલીકરણને પરિણામે વિદ્યાર્થીઓને ઘણા લાભો થાય છે. જે નીચે પ્રમાણે આપ્યા છે.
➜ વિધાર્થી
પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જે તે ક્ષેત્રનો વાસ્તવિક અને જીવંત અનુભવ મેળવે છે.
➜ પોતાના
વિસ્તારનાં એકમોથી માહિતગાર થાય છે.
➜ વિદ્યાર્થીઓના
ચોક્કસ કાર્યકૌશ્લ્યો અને ક્ષમતાઓનો વિકાસ થાય છે.
➜ વિદ્યાર્થીઓની
અવલોકન વૃતિને ઉતેજન મળે છે.
➜ વિદ્યાર્થીઓમાં
લોકશાહી ઢબે કામ કરવાની ટેવ વિકસે છે.
➜ વિદ્યાર્થીઓ
સ્વયં અવલોકન નોંધે છે, પરિણામ જાણે છે અને તારણો શોધે
છે.
➜ વિદ્યાર્થીઓમાં
ઝીણવટ પૂર્વક, ચીવટ અને ચોકચાઈથીઅભ્યાસ કરવાનો ગુણ કેળવાય
છે.
➜ વિદ્યાર્થીઓ
જિજ્ઞાસુ બને છે અને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા, જાણવા તત્પર
બને છે.
➜ વિદ્યાર્થીઓ
મેળવેલ સૈન્દ્ધાતિક જ્ઞાનનો ક્ષેત્રકાર્ય દરમિયાન ઉપયોગ કરતાં શીખે છે.
➜ કેટલાંક
પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા કરી શકે છે.
શિક્ષણકાર્ય મનોવૈજ્ઞાનિક
અને સ્વાભાવિક બને છે.
No comments:
Post a Comment