Saturday, August 18, 2018

દ્વ્રારકાદ્યીશ મંદિર – દ્વ્રારકા


->     ભારત દેશના  પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વ્રારકા. પુરાણથીયે પુરાણું આ નગર એમાંની સિમેન્ટ ફેક્ટરી કે પાઠશાળાઓને કારણે નહીં પણ અહીંની મહાવિભૂતિને કારણે વિખ્યાત છે – તે છે ભગવાન શ્રીકૃષ્ણ...

->   કથા કહે છે – મથુરા પર જરાસંઘ અને કાલયવન ચઢી આવ્યા, કંસના વધનું વેર લેવા, ત્યારે યાદવોનો સંહાર અટકાવવા શ્રીકૃષ્ણ યાદવોને લઈ અહીં પશ્ચિમે તેનીયે અણી જેવી જગાએ આવ્યા અને આ નગર વસાવ્યું – નામ આપ્યું દ્વ્રારકા. એ નામ ખૂબ અર્થપૂર્ણ છે, કારણ કે પશ્ચિમ તરફથી વહાણોમાં આવનારને ભારતમાં પ્રવેશવા માટેનું આ આ દ્વ્રાર જ છે. દરિયાકાંઠે દ્વ્રારકા ભારતની પશ્ચિમ ભૂમિ છે. ઈતિહાસ કહે છે કે, પુરાતન કાળમાં અહીં આદિમ સંસ્કૃતિયુગમાં એસિરિયાનાં વહાણો આવતાંને પછી ઈરાન – અરબસ્તાનમાં જતાં.
 
->    શ્રીકૃષ્ણે વસાવેલી દ્વ્રારકા તે સુવર્ણદ્વ્રારકા કહેવાતી. પુરાણોમાંને કાવ્યોમાં તેની ભવ્યતા, સુંદરતા અને સમૃદ્ધિના મબલક વર્ણનો છે. આપણા પ્રેમાનંદ તો ‘સુદામાચરિત્રમાં છે કે ‘કનકકોટ ચળકારા કરે મણિમય રત્ન જડ્યાં કાંગરે.’ એ સુદામાએ દીઠેલી દ્વ્રારકા તો શું, ઇતિહાસમાં વર્ણવાયેલી નગરીનો પણ અંશ કે અવશેષ અહીં મળતો નથી. કહેવાય છે કે પ્રભાસપીપળેથી જીવનની અંતિમ વિદાય – વેળાએ શ્રીકૃષ્ણે યાદવોને સંદેશો મોકલ્યો હતો કે દ્વ્રારકા છોડી દેજો, કારણ કે શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ બાદ તે સમુદ્રમાં સમાઈ જશે. ને લોકવાયકા કહે છે કે સોનાની દ્વ્રારકા તો સમુદ્રને તળિયે છે. અત્યારનું દ્વ્રારકા તો નવું વસેલું.

->  લોકવાયકામાં તથ્ય ગમે તે હોય, સોનાની વાત ભલે કલ્પનાની હોય, પણ તાજેતરમાં સમુદ્રતળના વિદ્વાન પુરાત્વવિદ ડૉ. રાવે શોધી કાઢયું છે કે દ્વ્રારકાની નજીકના સમુદ્રમાં તળિયે પાંચ વખત નગરી ડૂબી ગયાના અવશેષો છે. એ ગમે તે હોય, અત્યારે તો દ્વ્રારકા નાનકડું ગામ છે ને તેનું મહાત્મ્ય યાત્રાસ્થાન તરીકે છે. પ્રાચીનોએ ગણાવેલી મોક્ષદાયિની સાત નગરીઓમાંની એક એવી આ નગરીમાં ચૈતન્ય મહાપ્રભુ પધારેલા. મીરાં તો કહે છે કે અંતિમ સમયે અહીં જ આવેલાં અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયેલાં. ને તે યાત્રા હજી અખંડ ચાલે છે ને રોજેરોજે દેશભરમાંથી હજારો યાત્રાળુઓ અહીંનાં ભવ્ય ઊંચાં સ્થાપત્યયુક્ત મંદિરોમાં ભગવાન રણછોડરાયજીને – દ્વ્રારકાધીશને – ચરણે શ્રદ્ધાભક્તિથી પ્રણમવા આવ્યે જાય છે. મંદિર સુંદર છે.

->   ઊંચી ઊભણી પર આવેલા આ મંદિરમાં જવા માટે સંખ્યાબંધ લાંબા પગથિયાં છે. સમુદ્રને ગોમતીના સંગમ પરથી આવતાં તટે જ આવેલું આ મંદિર પગથિયાંની શ્રેણીને કારણે વધુ ભવ્ય લાગે છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહ પર લગભગ ૬૦ મીટર ઊંચું છે. માળવાળું શિખર છે. સામે પાંચ માળનો વિશાળ મંડપ છે. તેનો ઘુમ્મટ ૬૦ સ્તંભો પર ઊભો છે. આ મંડપની ઊંચાઈ લગભગ ૩૫ મીટર જેટલી છે. બહારની બાજુએ આખા મંદિર સુંદર શિલ્પકામ કરેલું છે, પણ અંદરની રચના કોતરણી વિનાની સાદી છે. બાંધકામમાં મુખ્યત્વે ચૂનાનો પથ્થર વપરાયો છે. મંદિરને બેવડો કોટ છે અને પરિક્રમા કરવાની જગા છે. આ જગમાં જ ને નજીકમાં જ શ્રીમદ્દ્ શંકરાચાર્યનો મઠ છે. આદ્ય શંકરાચાર્યે જે ચાર મઠ ભારતની ચાર દિશામાં સ્થાપ્યા તેમાંનો એક ‘શારદાપીઠા અહીં છે. આજે પણ ત્યાં સંસ્કૃત વિદ્યાનું સંશોધનકાર્ય ચાલે છે. 
 
->  મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડરાય – દ્વ્રારકાધીશની ૧ મીટર ઊંચી ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપ શ્યામમૂર્તિ  છે. ઉપરના માળે અંબાજીની ને સભામંડપની એક બાજુએ બલરામજીની મૂર્તિ છે. મહાતીર્થ હોય ત્યાં મુખ્ય મંદિર ઉપરાંત નાનાંમોટાં બીજાં અનેક મંદિરો પણ હોય જ ને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ હોય.

->  દ્વ્રારકાથી ૩૨ કિલોમીટર દૂર શંખોધ્દ્વાર બેટ છે. તે સ્થળ બેટદ્વ્રારકા અથવા રમણદ્વીપ તરીકે પણ ઓળખાય છે. પોતાના રાજ્યકાળ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણ સહકુટુંબ અહીં રહેતા એવી કથા છે. બેટદ્વ્રારકામાં એક રણછોડરાયજીનું મંદિરને બીજું શંખોધ્દ્વાર એમ મુખ્ય સ્થળો છે. મંદિર સાદું છે છે – પુષ્ટિમાર્ગી હવેલી પ્રકારનું. ફરતા કોટવાળા વિશાળ ચોકમાં બે કે ત્રણ માળવાળાં પાંચ મહાલો છે. અહીં મત્સ્યાવતારનું મંદિર છે.

->  આ બેટની વાત શંખ નામના અસુરનો શ્રીકૃષ્ણે કરેલા ઉદ્ધાર અને વિષ્ણુના હાથમાંના શંખ – કૃષ્ણના પાંચજન્ય શંખ સાથે સંકળાયેલી છે. બેટની આસપાસના દરિયામાં હજી પણ શંખ ઘણા પેદા થાય છે. બેટ ઉપરથી અટક થઈ  બેટાઈ – જેનાથી આપણા વિખ્યાત કવિ સુંદરજી બેટાઈ યાદ આવે.
->  બેટદ્વ્રારકાની નજીક ગોપી તળાવ છે તે પણ પુરાણપ્રસિદ્ધ સ્થળ છે. અહીંની માટી તે જ ગોપીચંદન. યાત્રાળુઓ આ તળાવમાંથી માટી કાઢી તેના ગોળા બનાવે છે. તેનાથી આગળ નજીકમાં વન છે તે દારુકાવન તરીકે પુરાણોમાં ઓળખાવાયું છે. અહીં ભગવાન નાગેશ(શિવ)નું નાગનાથનું મંદિર છે જે શિવનાં બાર જ્યોતિલિઁગોમાંનું એક ગણાય છે. આમ સોમનાથ અને દેહોત્સર્ગ તીર્થની જેમ જ અહીં પણ નાગેશ (જ્યોતીલિઁગ) અને દેહોત્સર્ગ તીર્થની જેમ જ અહીં પણ નાગેશ (જ્યોતિલિઁગ) અને દ્વ્રારિકાનું વૈષ્ણવ તીર્થ નજીકનજીક આવેલાં છે.

->  ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું આ હરિધામ ગોમતીનદીના ઉત્તરકિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિન્દુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રેનાઈટઅને રેતિયા પથ્થરના ૬૦ સ્તંભ ઉપર ટેકવેલી છે. સાત માળના આ મંદિરના ચોથા માળે શક્તિદેવની મૂર્તિ તથા પાંચમાં માળે ૭૨ કોતરણીવાળા સ્તંભો પર લાડવા મંડપ આવેલ છે. મંદિરનું શિખર ૫૨ ૫૨ મીટરની ઊંચાઈ પર છે. મંદિરની પરસાળની લંબાઈ ૨૭ મીટર તથા ૬.૪ મીટર છે. મંદિરની બહારની દીવાલોના પાયાથી શિખર સુધી કોતરણી છે, પરંતુ અંદરનો ભાગ સાદો છે. દ્વ્રારકાધીશની મૂર્તિ અનેક અલંકારોથી શણગારવામાં આવે છે. તેના પ્રવેશદ્વ્રાર પાસે ગણપતિની મૂર્તિ છે.  

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...