ગુજરાત અને ગુજારાતી ભાષા
(‘દસમસ્કંધ’ અધ્યાય-૧૬, કડવું ૫૪;
રચનાવર્ષ ઈ.સ. ૧૭૧૦થી ૧૭૨૧ આસપાસ) એમ ‘ગુજરાતી’ એવો શબ્દપ્રયોગ ભાષાના સંદર્ભમાં સૌપ્રથમ આખ્યાનકવિ પ્રેમાનંદ દ્વારા
થયેલો જોવા મળે છે.
ઉતરે
કચ્છ અને મારવાડ, દક્ષિણે મહારાષ્ટ્રનો થાણા
જિલ્લો, પશ્વિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં માળવા-ખાનાદેશ
એની વચ્ચેના પ્રદેશના હાલ બોલાતી ભાષા ગુજરાતી તરીકે ઓળખાય છે. આ ગુજરાતી ભાષા
જ્યા બોલાય છે તે પ્રદેશને ‘ગુજરાત’
નામથી ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં બહારથી આવીને વસેલી ‘ગુર્જર’ નામની જાતિના લોકો સાથે આ પ્રદેશનું નામ સંકળાયેલું રહ્યું છે. આ પ્રદેશ गुर्जर राષ્ટ્ર, ગુર્જરત્રા, ગુર્જરત્રામંડલ, ગુર્જર-ગુજજર
દેશ, गुज्रात ઈ.
નામ વડે આવરનાર - ઈ.સ. ના આઠમા સૌકાથી ચૌદમાં સૌકા સુધી ઓળખાતો રહ્યો છે. મહાન ચીની
મુસાફર અને ઈતિહાસલેખક હ્યુ-એન-સંગે ભિન્નમલનું રાજય ગુર્જર રાજયના ભાગરૂપે હતું એમ
નોધ્યું છે. આજે એમ નથી. અત્યારે છે તે રૂપમાં ગુજરાત પ્રદેશ મુસ્લિમ શાસન દરમિયાન
ઓળખાવા લાગ્યો હતો, એ નોધવું જોઈએ. એ ગુજરાત પ્રદેશમાં
વસતા લોકોની બોલાતી ભાષા ગુજરાતી છે.
આ બોલાતી ગુજરાતી ભાષામાં સમયે-સમયે પરીવર્તન
આવ્યા છે. ગુજરાતીભાષી પ્રજાની સંસ્કૃતિમાં આવેલા ક્રમિક પરિવર્તનો ઉપરાંત ગુજરાત પ્રદેશ
ઉપર એક યા બીજી રીતે આવીને વસે, પ્રભુત્વ ધરાવતી વિદેશી વિધર્મી, પરભાષી પ્રજાઓના સંપર્કને પરિણામે પણ ભાષાંઅંતર્ગત કેટલાંક પરિવર્તનો નજરે
પડે છે. ભાષાના વિકાસની એ સાહજિક પ્રક્રિયા છે.
(મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ડૉ. રમેશ એમ. ત્રિવેદી – સાતમી આવ્રુતિ ૨૦૧૧)
No comments:
Post a Comment