Friday, July 27, 2018

સરોજ પાઠક જીવન વિષયક માહિતી


        
સરોજ પાઠકના જીવનની માહિતી

          તેમનો જન્મ કચ્છ જીલાના જખૌ ગામમાં ૧ જૂન ૧૯૨૯ના રોજ નારણદાસ ઉદેશીને ત્યાં થયો હતો. તેમણે પ્રાથિમક અને મધ્યામિક શિક્ષણ મુંબઈમાં થયુ.૧૯૪૭માં તેમણે મેટ્રીક્ષની પરીક્ષા  ઉતીર્ણા કરી અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. તેમજ ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ.ની પદવીઓ મેળવી. ૧૯૫૬-૫૭માં તેઓ આકાશવાણી સાથે જોડાયા અને ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઇન્ફેર્મેસન  સર્વિસ સાથે સંલગ્ન હતા. ૧૯૬૪ થી તેઓ બારડોલીની કૉલેજમાં અધ્યપક રહ્યાં હતા. ૧૯૮૯માં બારડોલીમાં તેમનુ અવસાન થયુ હતું.

       તેમના પતિ રમણલાલ પાઠક તેમને તેમની પ્રથમ વાર્તા લખવા માટે પ્રેર્યા હતા. અને તેમની પ્રથમ વાર્તા, નહી આંધારું, નહીં આજવાળું જીવનમધુરી સામયિકમાં પ્રકાશિત થઇ હતી. તેમનો પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝૂક આઈ (૧૯૫૯) ચેતન પ્રબ્લીશર્સ દ્વારા પ્રકાશિત થયો હતો અને તેને બોમ્બે રાજય તરફથી ઈનામ મળ્યું હતું. પ્રિત બંધાણી (૧૯૬૧) તેમના પતિની મદદથી પ્રકાશિત થયું હતું. મારો અસબાબ મારો રાગ (૧૯૬૬) સામાજિક વાર્તાઓ ધરાવે છે. વિરાટ ટપકું (૧૯૬૬) એ તેમને આધુનિક વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી. હુકમનો એક્કો,’ ‘તથાસ્તુ (૧૯૭૨) વગેરે તેમના અન્ય વાર્તાસંગ્રાહો છે.

      નાઈટમેર (૧૯૬૯) મનોવૈજ્ઞાનિક નવલકથા અને તેમની પ્રથમ નવલકથા હતી. નિ:શેષ (૧૯૭૯),પ્રિય પૂનમ (૧૯૮૦), ટાઇમ બોમ્બ (૧૯૮૭), ‘લિખિતંગ (૧૯૮૮) એમની અન્ય નવલકથાઓ છે.

     તેમણે ગુજરાત મિત્રમાં નારી સંસ્કાર કટાર લખી હતી. સંસારિકા (૧૯૬૭) અને અર્વાચીન (૧૯૭૬) તેમના નિબંધ સંગ્રહો છે. પ્રતિપદા (૧૯૬૨) એમનો અનુવાદ છે.
     તેઓના લગ્ન રમણલાલ પાઠક ૧૯૫૦માં સાથે થયા હતા, ઓ ગુજરાતી હાસ્ય લેખક હતા. આધુનિક વાર્તાનો કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાનો અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યક્તિમાં સિદ્ધિ મેળવી શક્યો હોય એવી નોધપાત્ર વાર્તાઓ. નવલકથા આસ્તિત્વાની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી ધોતક છે.   

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...