ઐતિહાસિક
સત્ય અને આંતરધર્મિય લગ્નથી પ્રગટ થતી સામાજિક સમસ્યા: ‘આવરણ’ -
ઝાલા જલ્પાબા વી.
કન્નડ ભાષાના નવલકથાકાર સંતેશિવારા
લિંગાનૈયા (ડૉ. એસ. એલ. ભૈરપ્પાનો) જન્મ દક્ષિણ ભારતના હસન જિલ્લામાં ચેન્નરાયપટન્ના તાલુકાના નાનકડા ગામમાં બ્રાહ્મણ
કુટુંબમાં થયો હતો. બી.એ., એમ.એ ફિલોસોફી વિષય સાથે મૈસુર
યુનિવર્સિટીમાં કર્યું. એમ.એ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો. પીએચ.ડી.ની ડિગ્રી એમ.એસ.
યુનિવર્સિટી વડોદરામાંથી મેળવેલ.
વર્તમાન
કન્નડ નવલકથા સાહિત્યમાં સંક્રાતિ કાળના ભારતની સમસ્ત સમસ્યાને વિષયવસ્તુરૂપે
આલેખતા સર્જકોમાં ડૉ. શિવરામ કારંત પછી એસ. એલ. ભૈરપ્પાનું નામ લેવાય છે.
ડૉ. એસ. એલ. ભૈરપ્પાની નવલકથા ‘આવરણ’ મૂળ તો કન્નડ ભાષામાં લખાયેલી નવલકથા છે અને
તેનો ગુજરાતીમાં અનુવાદ સિદ્ધા દિક્ષિતએ કર્યો છે. આ પ્રસિધ્ધ કન્નડ નવલકથાની
માત્ર પાંચ વર્ષમાં ૩૯ આવૃતિનો વિક્રમ કરનારી છે અને માત્ર બે માસમાં ગુજરાતી
અનુવાદની ૧૨,૦૦૦ નકલનું વિક્રમી વેચાણ કરનાર છે.
ડૉ. એસ. એલ. ભૈરપ્પાની ‘મંદ્ર’ પછીની નવલકથા ‘આવરણ’ (૨૦૦૭) કલાવિષય અને કલાવિધાન ઊભય દ્રષ્ટિએ ધ્યાન ખેંચે તેવી સબળ કૃતિ છે.
ભારતીય વિચાર મંચ દ્વારા પ્રકાશિત થયેલી ‘આવરણ’ એક નવી સમસ્યા અને નવો દ્ર્ષ્ટિકોણ સમાજ સામે મૂકે છે. નવલકથાના માધ્યમથી સામાજિક સમસ્યા અને પુરાવાસહિત ઇતિહાસની
પ્રસ્તુતિથી સમાજપ્રબોધનનો પ્રયાસ અને
સમસ્યા હલ કરવાનો અને જેના પર ખાસ ખેડાણ નથી થયું. એવો માર્ગ પણ ચિંધી રહ્યયા છે.
‘આવરણ’માં લેખકે જે સમસ્યાઓ ઈતિહાસમાં જોવા મળે છે, તે
મૂકી આપી છે. આંતરધર્મિય લગ્ન અને તેના દ્વારા નિપજતા પરિણામો, સ્ત્રીશોષણ, જીતેલી પ્રજા હારેલી પ્રજાનું જે શોષણ
કરે છે અને બળજબરીથી ધર્મ બદલાવડાવે છે, સ્ત્રીઓની જોહર
કરવાની પ્રથા, જિઝિયાવેરો, બે ધર્મ
વચ્ચેનો ભેદ (હિન્દુ, મુસ્લિમ), ધર્મનાં
નામે થતી હોળીઓ, ઈતિહાસમાં ભૂલો અને વેર આક્રમણ અને પરાજયના
ક્યારેય સમાપ્ત ન થનારાં આવર્તનો વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. લેખક પોતે જ ‘આવરણ’ માટે કહે છે કે ‘સત્યને
વિસ્મરણથી ઢાંકી દેનારી માયાને આવરણ કહે અસત્ય સ્થાપિત કરનારા કાર્યને વિક્ષેપ કહે
છે. વ્યક્તિગત સ્તર પર ચાલનારી આ ક્રિયાને અવિદ્યા અને સામૂહિક અથવા વૈશ્વિક સ્તરે
ચાલતી આ પ્રક્રિયા માયા કહેવાય છે.
વાર્તાની અંદર વાર્તા દ્વારા એસ.એલ. ભૈરપ્પા
ટેકનિકની મદદથી જે સત્ય ઇતિહાસ છે, તેના તથ્યો
રજૂ કર્યા છે. નવલકથાનું મુખ્ય પાત્ર જે એક ચુસ્ત બ્રાહ્મણ કુટુંબની લક્ષ્મી એક
મુસ્લિમ છોકરા આમિર સાથે લગ્ન કરે છે. તેના પિતા નરસિંહ ગૌડનો વિરોધ હોવા છતાં તો
પણ લક્ષ્મી આમિર સાથે આંતરધર્મિય લગ્ન કરે છે. એક આંતરધર્મિય લગ્નના કારણે નામ
બદલવું પડે છે, તેથી લક્ષ્મીનું રૂપાંતરણ રઝિયામાં થાય છે.
પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં આમિર અને રઝિયા ભણતા હતા અને પ્રેમમાં પડ્યા. ૨૮
વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. લક્ષ્મીના પિતાએ આ લગ્નનો એ માટે વિરોધ કર્યો હતો
તેનું કારણ એ હતું કે ‘તારા પેટે જન્મ લેનારું બાળક અથવા એનું બાળક કોઈને કોઈ પેઢીએ આપણાં
મંદિરના ધ્વંશ કરશે. તેનું પાપ તારે માથે આવશે તે યાદ રાખજે.’ હવે ૨૮ વર્ષ બાદ આ દંપતિ હમ્પી પર હતી જે એક દસ્તાવેજી ફિલ્મ મુસ્લિમ
શાસનના પ્રભાવ વિશે તૈયાર કરવાના કારણે. રઝિયાનો પ્રશ્ન એ છે કે આ ડોક્યુમેંટરીનું
અર્થઘટન કેવી રીતે કરવું. હમ્પી ખાતે મંદિરોનો નાશ થયો. આ બધું કોણે અને કેમ
કર્યું તે કહેવું જોઈએ ? આ વિનાશ સામંતશાહી વિરોધી શક્તિઓએ
કર્યો ? શિવભક્તો અને વિષ્ણુભક્તો વચ્ચે આંતર લડાઈ ચાલી રહી
છે. ભક્તો દ્વારા મંદિરોનો નાશ થયો હતો. રઝિયાની એક મૂંઝવણ છે, કારણકે આમિર નિશ્ચિતપણે માને છે કે શિવ-વિષ્ણુ ભક્તો વચ્ચે કંકાસ હતો.
રઝિયા કહે છે આ બધી વાત સાચી નથી. ત્યાં જ આમિર ચૂપ થઈ જાય છે, અને બંનેની ચર્ચા અટકી જાય છે. એક હિન્દુ તરીકે લક્ષ્મી કહે છે, પોતાની જાતિ અથવા પેટા જ્ઞાતિના સામાન્ય રીતે બધા ભગવાન આદરયુક્ત છે. ખાસ
કરીને હિન્દુ ધર્મમાં ત્યારબાદ લક્ષ્મીના પિતાનું નિધન થાય છે, તેના સમાચાર તેને મળે છે. ૨૮ વર્ષ બાદ તેના ગામ જાય છે. મુસ્લિમ આક્રમણો
પર ઘણા વિદ્ધતાપૂર્ણ પુસ્તકો અને ભારતના શાસન પર પુષ્કળ નોંધો તેના પિતાએ કરી હતી.
આ બધા દસ્તાવેજો એકઠા કરે છે. આ બધા ઐતિહાસિક પુસ્તકો છે. આ બધા પુસ્તકો જ્યારે
લક્ષ્મી વાંચે છે, ત્યારે તેની આંખો સમક્ષ મુસ્લિમ ધર્મનું
સત્ય આવે છે. તેણે લગ્ન એક મુસ્લિમ છોકરા આમિર સાથે કર્યા હતા તેને તે જ હિન્દુ
ધર્મમાં સ્વીકારવામાં ન આવી હતી. તેને નામ અને ધર્મ બદલવા પડયા હતા, આ ધર્મમાં તો પ્રેમના નામે ગોમાંસ ખવાય છે. ગામથી લક્ષ્મી પાછી ફરે છે, ત્યારે તે આમિરને હમ્પી પરની સ્ક્રીપ્ટ લખવાની ના પાડે છે. લક્ષ્મી
નિર્ણય લે છે અને ગામ પાછી વળે છે અને તેના પિતાનું અધૂરું કામ ચાલુ કરે છે. તેનું
ટિપુ સુલતાનના સંદર્ભમાં સંશોધન ચાલુ હતુ ત્યારે તેને તેનાં આપ્પાજીના સંગ્રહમાં ‘ટિપુ સુલતાનના સ્વપ્નો’ નામની એક ટાઈપ કરેલી પ્રત
મળી એ વાંચ્યા પછી તો ટિપુ કેટલો ધર્માંધ હતો તેની વધુ ખાત્રી થઈ જાય છે. તેમાં તે
હિન્દુઓનો ઉલ્લેખ કાફર તરીકે કરે છે, અંગ્રેજોને ક્રિસ્ત
તરીકે કરે છે. ટિપુની ક્રૂરતા અન્ય ધર્મ પ્રત્યેનો તેનો દ્રોષ અને આ પ્રદેશના મૂળ
રહેવાસીઓ પ્રત્યેનો તેનો તિરસ્કાર તેના કારણે રઝિયા હમ્પી પરની સ્ક્રિપ્ટ લખવાની
ના પાડે છે. આવા માણસનું નાટકમાં રાષ્ટ્રવીર તરિકે કેવી રીતે ચિત્રણ થઈ શકે. એસ. એલ.
ભૈરપ્પા સાહિત્યિક ટેકનિક દ્વારા આખી ઘટના આપણી સમક્ષ ઉઘાડી આપે છે.
ઔરંગઝેબના રાજ દરમિયાનની ઐતિહાસિક ઘટના સમજાવવા
માટે તેના પિતાની નોંધો અને પુસ્તક સંગ્રહ પર આધાર રાખીને લક્ષ્મી નક્કી કરે છે કે
એ નવલકથા લખશે. દેવગઢ રાજસ્થાનના એક રાજપૂત રાજકુમારન વિશે, ડૉ. એસ. એલ. ભૈરપ્પા આ બધા સંદર્ભોની યાદી ‘આવરણ’ નવલકથાના અંતે આપે છે અને તેમનો દાવો છે કે આ નવલકથા ઐતિહાસિક સાબિતી પર
આધારિત છે, આ કોઈ સાહિત્ય કામ નથી. દેવગઢના આ રાજકુમારને
આક્રમણ દરમિયાન કેદ કરવામાં આવે છે અને સ્ત્રીઓના જોહર કરવામાં આવે છે. ત્યારબાદ
સાત-આઠ સૈનિકો તેમના શ્રી વિષ્ણુની મૂર્તિ ? તેમના કુલદેવતા
! માનવકુળનું રક્ષણ કરનારા દેવ ! મનસબદારે એક છીણીથી મૂર્તિનાં નાક-કાન અને
મૂર્તિની છાતી પર ઊભો રહી ખંડિત કરે છે. રાજકુમારને ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરાવે
છે. ત્યારે તે રાજકુમાર માત્ર ૧૭ વર્ષનો જ હતો. આ પછી તેના પર શારીરિક શોષણ
કરવામાં આવે છે, તેને નપુંસક બનાવવામાં આવે છે. આ પછી તેને
જનાનખાનાની રાણીઓના રક્ષણ માટે વાપરી શકાય. આ ઘટનાઓ ઈતિહાસમાં બની છે અને આમાં
લેખક લોહીલુહાણ માનવીનું દર્શન કરાવે છે . મંદિરનો નાશ કરવામાં આવે છે મુસ્લિમ
રાજાઓ દ્વારા ત્યાં મસ્જિદો સ્થાપવામાં આવે છે. આ પણ લેખકે દર્શાવ્યું છે એક
રસપ્રદ પાત્ર પ્રોફેસર શાસ્ત્રીનું છે, તેઓ અતિ આધુનિક
વ્યક્તિ છે. તેમણે એક ગોરી છોકરી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા. તેમના માતાનું
મૃત્યુ થાય છે, પણ તેની વિધિ કરવા માટે તે યોગ્ય નથી. કારણ
કે તેમણે એક ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા હતા અને તે લોકો તો ગોમાંસ ખાય છે, અને પ્રોફેસર શાસ્ત્રી પણ ચોરીછૂપી રીતે તેઓ કાશી જાય છે અને વિધિ કરે
છે. ખ્રિસ્તી ધર્મ તરફ ખેંચાય છે, પોતે એ ધર્મને અપનાવે છે.
એવા પ્રકારનું આ પાત્ર છે. નવલકથાના અંતે લક્ષ્મીને એક વ્યાખ્યાનમાં નિમંત્રિત
કરવામાં આવે છે. આ વ્યાખ્યાનમાં ઇતિહાસ સંદર્ભે ચર્ચા થાય છે. તેમાં લક્ષ્મી તેના
પિતાજીની નોંધો, સંદર્ભ દ્વારા ઐતિહાસિક ઘટનાઓ દ્વારા પોતાની
વાત મૂકે છે. તે પરથી જ તે નવલકથા લખે છે અને તે નવલકથા પર એક લેખ લખવામાં આવે છે
અને તેનો વિરોધ થાય છે, અને અંતે આ નવલકથા પર સરકાર દ્વારા
પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આમ લેખક આંતરધર્મીય લગ્ન થાય કે થઈ રયા છે.
તેમાં સ્ત્રીનું શોષણ થાય છે. તેમાં લક્ષ્મીનું રઝિયાના રૂપમાં જે શોષણ થયું છે.
તેમાં લેખક લક્ષ્મીની મથામણ દર્શાવે છે. આમિર સાથે લગ્ન કર્યા એટલે નામ, ધર્મ બધુ બદલવું પડે છે. આમિર અને તેના માતા-પિતા દ્વારા પણ મુસ્લિમ ધર્મ
સ્વીકારવો અને સંપૂર્ણાપણે તે જ પરિવેશમાં રહેવું તેવું તેમનું કહેવું હતું પરંતુ
તે લક્ષ્મી સ્વીકારતી નથી. તેના પિતાજીની નોંધો, સંદર્ભ અને
પુસ્તકો વાંચે છે અને મુસ્લિમ ધર્મનું સત્ય તેની સામે આવે છે ત્યારે તે નવલકથા લખે
છે, મુસ્લિમ ધર્મના વિરોધમાં આ દ્વારા લેખક લક્ષ્મીનો
આંતરસંઘર્ષ અને મથામણ દર્શાવે છે.
આ કૃતિ સાંસ્કૃતિક વિરાસત છે. સત્યને છુપાવીને
વાત કરવી તે ‘આવરણ’ અસત્ય પ્રગટ
કરવું તે ‘આવરણ’. પ્રોફેસર શાસ્ત્રી
જેવા પાત્રો નવલકથામાં જોવા મળે છે. જે પોતાની સંસ્કૃતિને છૂપાવી અન્ય સંસ્કૃતિનો
દેખાવ કરે છે. પ્રોફેસર શાસ્ત્રી ભારતીયતાને છૂપાવી પશ્વિમતાને દાખલ કરે છે. આગમાં
ઘી હોમવાનું કામ કરે છે. પ્રોફેસર શાસ્ત્રીએ હિન્દુ માર્ક્સવાદી છે. પ્રોફેસર
શાસ્ત્રીનું એ માનવું છે કે શૈવોએ વૈષ્ણવ મંદિરો અને મૂર્તિઓનો નાશ કર્યો છે.
પરંતુ કેટલાક ધર્માંધ લોકો આ બધુ મુસ્લિમોને માથે મારી સાંપ્રદાયિક દ્રેષ
વધારવાનું કામ કરી રહ્યા છે. પરંતુ આ દેવાલયો શૈવોએ તોડયા નથી પણ મુસ્લિમોએ જ તોડયા છે. પ્રોફેસર
શાસ્ત્રી સમાજવાદ અને માર્ક્સવાદની સિધ્ધાંતોની વાતો જ સમાજમાં ફેલાવતા અને પોતાનો
પ્રભાવ પાડતા આવા લોકો સમાજમાં પણ જોવા મળે છે. જે પોતાના ધર્મની અને ભારતીયતાની નબળાઈએ
જ બતાવે છે. આ માર્ક્સવાદના પ્રભાવનું કારણ છે. પ્રોફેસર શાસ્ત્રીની દીકરી
અરુણાનાં લક્ષ્મીના દિકરા નઝીર સાથે લગ્ન થાય છે. પરંતુ નઝીરની શરત હતી, પોતાની થનારી પત્નીએ પહેલા મુસલમાન થવું જોઈએ. એ પછી મુસ્લિમ પદ્ધતિ
પ્રમાણે નિકાહ થવા જોઈએ. તે પછી પણ ઘરમાં મુસ્લિમ પદ્ધતિ અનુસાર જ જીવન જીવવું
પડશે. આ વાત અરુણાએ માન્ય કરી હતી. તેનું મુસ્લિમ નામ સલમા થયું. પ્રોફેસર
શાસ્ત્રી સિવિલ મેરેજનું કહે છે, પરંતુ મુસ્લિમ પદ્ધતિથી જ
લગ્ન થાય છે. ત્યારબાદ અરુણા સલમા બનીને સાઉદી જાય છે. પ્રોફેસર શાસ્ત્રીનો દિકરો
દિગંત તેને એક પંજાબી છોકરી બબીતા સાથે લગ્ન કર્યા હતા. આ પ્રોફેસર એક આધુનિક
વિચારક હતા. આ પ્રોફેસર એક હિન્દુ ભારતીય હોવા છતાં ગોમાંસ ખાય છે, અને આપણા ઋષિમુનિઓ પણ ગોમાંસ ભક્ષણ કરતાં એ મુદ્દા પર ભાર મૂકી લેખ લખે
છે. લક્ષ્મી અને આમિરના લગ્ન કરાવવામાં પ્રોફેસર શાસ્ત્રી મદદ કરે છે. પરંતુ એક
વ્યાખ્યાનમાં જેમાં મુસ્લિમોનો સત્ય ઇતિહાસ લક્ષ્મી કહે છે,
ત્યારે લક્ષ્મીનો વિરોધ કરતાં જણાય છે. આમ પ્રોફેસર શાસ્ત્રી સત્યને ઢાંકીને, જે અસત્ય છે તે પ્રગટ કરે છે. પ્રો. શાસ્ત્રીના પાત્રમાં વર્તમાન ભારતમાં
કહેવાતા બૌદ્ધિક લોકોની પ્રવૃતિનો પરિચય મળે છે. આમ આ નવલકથા દ્વારા એસ. એલ.
ભૈરપ્પાએ આપણી સમક્ષ જે સત્ય ઈતિહાસ છે, તે પ્રગટ કર્યો છે.
(‘આવરણ’, એસ. એલ. ભૈરપ્પા,
અનુવાદક: સિદ્ધા દિક્ષિત,
પ્રથમ
આવૃત્તિ – ૨૦૧૩)
-ઝાલા જલ્પાબા વી.
સરસ
ReplyDeleteઆવા સરસ પુસ્તક વિશે આવો સરસ રિવ્યુ આપવા બદલ આભાર.
ReplyDelete