રવિવાર, 8 ઑગસ્ટ, 2021

પ્રસારમાન

 

પ્રસ્તાવના

       કોઈપણ સંશોધન માટે સૌ પ્રથમ માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ચલ લક્ષણો મુજબ તેનું વર્ગીકરણ કરી આવૃત્તિ વિતરણોની રચના કરવામાં આવે છે આ માહિતીની સરખામણી કરવા માટે મધ્યવર્તી સ્થિતિમાનના માપનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દરેક સંજોગોમાં મધ્યવર્તી સ્થિતિમાનના માપથી કરેલી સરખામણી સાચું પરિણામ આપતી નથી.

પ્રસારમાનનો અર્થ : (Meaning of Dispersion) :

     પ્રસાર એટલે પ્રાપ્તાંકોનો ફેલાવો

       માહિતીના અવલોકનો તેની મધ્યવર્તી સ્થિતિમાનના માપથી કેટલા દૂર સુધી ફેલાયેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. માહિતીનો ફેલાવો દર્શાવતું માપ એટલે પ્રસારમાન.

       જો માહિતીના અવલોકનો સરેરાશથી નજીક હોય તો માહિતીમાં પ્રસાર ઓછો છે. જયારે અવલોકનો સરેરાશથી દૂર હોય તો પ્રસાર વધુ છે તેમ કહેવાય. માહિતીનો પ્રસાર જેમ ઓછો તેમ માહિતીના પ્રાપ્તાંકો વધુ સ્થિર કે વિશ્વસનીય તથા પસાર જેમ વધુ તેમ પ્રાપ્તાંકો વધુ અસ્થિર કે અવિશ્વસનીય ગણાય.

       ‘પ્રસારમાન’ એ માત્ર સમષ્ટિનાં અવલોકનોના ચલન વિશેનો સામાન્ય ખ્યાલ દર્શાવે છે એવું નથી પરંતુ તે ચલન વિશેનું ચોક્કસ માપ પણ દર્શાવે છે. જુદા જુદા આંકડાશાસ્ત્રીઓએ પ્રસારમાનની વ્યાખ્યાઓ જણાવી છે તેમાંથી સ્પિગલ (Spiegel)એ આપેલી વ્યાખ્યા નીચે મુજબ છે.

       “માહિતીના સરેરાશ માપની આસપાસ તેનાં અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન.”

પ્રસારમાનના ઉપયોગો :

1.       કોઈ એક જૂથના કાર્યનો ખ્યાલ મેળવવા ઉપયોગી છે.

2.      બે જૂથોના કાર્યની સરખામણી કરવા માટે ઉપયોગી છે.

3.       સરેરાશ સમગ્ર શ્રેણીનું પ્રતિનિધિત્વ કેટલે અંશે ધરાવે છે તે પ્રસારમાનના માપ વડે જાણી શકાય છે.

4.      શ્રેણીમાં રહેલ ચલનની માત્રા, તે માટેના કારણો તપાસવા અને તેના પર નિયત્રણ મેળવવા પ્રસારમાન ઉપયોગી છે.

5.       પ્રસારમાનના માપ વડે બે કે તેથી વધુ શ્રેણીઓની સ્થિરતા કે સુસંગતતાનો અભ્યાસ કરી શકાય છે.

પ્રસારમનનાં કેટલાંક ઈચ્છનીય લક્ષણો :  

1.       પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.

2.      તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ.

3.       તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ.

4.      તે બૈજિક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકૂળ હોવું જોઈએ.

5.       તે નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદનાં જુદાં જુદાં નિદર્શો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ.

6.      તેની કિંમત પર માહિતીનાં અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ.

પ્રસારમાનના માપો : (Measures of Dispersion) :

પ્રસરમાનનાં માપોનો અભ્યાસ બે રીતે કરવામાં આવે છે.

(૧) નિરપેક્ષ પ્રસારનાં માપો (Absolute Dispersion)

(૨) સાપેક્ષ પ્રસારનાં માપો (Relative Dispersion)

F નિરપેક્ષ પ્રસારનાં માપો : નિરપેક્ષ પ્રસારમાં માપ તેના એકમથી સ્વતંત્ર હોતું નથી. એટલે કે માહિતી જે એકમમાં હોય તેનો પ્રસાર તે જ એકમમાં મળે દા.ત. વિદ્યાર્થીઓની ઊંચાઈ સે.મી. માં જ મળે. ટૂંકમાં, નિરપેક્ષ પ્રસારથી એવી જ માહિતીની સરખામણી થઈ શકે જે સમાન એકમ ધરાવતી હોય, નિરપેક્ષ પ્રસારના માપો નીચે મુજબ છે.

1.     વિસ્તાર

2.    ચતુર્થક વિચલન (પાદસ્થ વિચલન)

3.     સરેરાશ વિચલન

4.    પ્રમાણિત વિચલન/પ્રમાણ  

F સાપેક્ષ પ્રસારનાં માપો : સાપેક્ષ પ્રસારમાં માપ તેના એકમથી સ્વતંત્ર હોય છે. તેથી જુદા જુદા એકમોવાળી માહિતીની સરખામણી સાપેક્ષ પ્રસારના માપોથી થઈ શકે છે. તેને પ્રસારાંક (Coefficient Dispersion) કહે છે.  જે નીચે મુજબ છે.

1.     વિસ્તારાંક (સાપેક્ષ વિસ્તાર)

2.    ચતુર્થક (પાદસ્થ) વિચલનાંક

3.     સરેરાશ વિચલનાંક

4.    ચલનાંક (પ્રમાણ વિચલનાંક)

નિરપેક્ષ પ્રસારમાનના માપો :

૨. વિસ્તાર (Range) :

વિસ્તારનો અર્થ :

     સૌથી મોટા પ્રાપ્તાંક અને અને સૌથી નાના પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને વિસ્તાર કહે છે.

વિસ્તારના ઉપયોગો :

1.       પ્રસારનું સૌથી ઝડપથી શોધી શકાતું માપ છે.

2.      વિસ્તાર એ પ્રસારનું સૌથી સરળ માપ છે.

3.       બે કે વધારે સમૂહોની ઉપરછલ્લી તુલના કરવા ઉપયોગી છે.

4.      બહુ જ થોડા પ્રાપ્તાંકો હોય અને અનિયમિત રીતે ફેલાયેલા હોય ત્યારે ઉપયોગી બને છે.

વિસ્તારની મર્યાદાઓ :

1.       સરાસરીને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

2.      વિસ્તારમાં સૌથી વધુ અને સૌથી ઓછા પ્રાપ્તાંકનો ઉપયોગ થતો હોવાથી આ માપ ઓછું વિશ્વસનીય અને પ્રમાણભૂત છે.

દા.ત. પ્રથમ પાંચ સંખ્યાઓમાં મહત્તમ અવલોકન 5 છે જયારે લઘુત્તમ અવલોકન 1 છે તો આ માહિતીનો વિસ્તાર = મહત્તમ પ્રાપ્તાંક – લઘુત્તમ પ્રાપ્તાંક = 5 – 1 = 4 જવાબ મળે.

       આપેલી માહિતીમાં મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. તેને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે.

વિસ્તારનું સાપેક્ષ માપ વિસ્તરાંક – તે શોધવાનું સૂત્ર -  /  +

જ્યાં,  = મહત્તમ પ્રાપ્તાંક (Higher Score)

        = લઘુત્તમ પ્રાપ્તાંક (Lower – Score)

માટે ઉપરની શ્રેણીનો વિસ્તરાંક =5-1/5+1=4/6=2x2/૩x2 = 2/3=0.67.

૨. સરાસરી વિચલન : (MEAN DEVIATION) :

અર્થ : આપેલીના માહિતીના પ્રાપ્તાંકોનાં તેના મધ્યકમાંથી લીધેલા ધન વિચલનોના તફાવતને સરાસરી વિચલન કહે છે. અહીં ધન વિચલન લેવા માટે પ્રાપ્તાંકોના માનાંકમાં | | મૂકવાની જરૂર પડે છે. માનાંક છોડતા હંમેશા ધન સંખ્યા મળે છે.

અવર્ગીકૃત માહિતી માટે સરાસરી વિચલન :

ઉદા. 1 30,25,15,20,38,22,11 પ્રાપ્તાંકોનું સરાસરી વિચલન શોધો.

અહીં મધ્યક  30+25+15+20+38+22+11/7 = 161/7 = 23

હવે વિચલન di=| xi-x}= |30-23|=7, |25-23|=2, |15-23|=+8, |20-23|=+3, |39-23|=15, |22-23|=+1, |11-23|=+12

માટે =7+2+8+3+15+1+12=48

માટે, સરાસરી વિચલન (M.D.)=

પ્રાપ્તાંક વર્ગ

આવૃત્તિ fi

વર્ગનીમ. (xi)

di=xi-A/i

fidi

|xi-x|

fi |xi-x]

3-7

2

5

-3

-6

13.12

26.84

8-12

5

10

-2

-10

8.12

40.60

13-17

9

15

-1

-9

3.12

28.08

18-22

15

20

0

0

1.88

29.20

23-27

8

25

1

8

6.88

55.04

28-32

1

30

2

2

11.88

11.88

 

n=40

 

 

 

 

 

                                                         

મધ્યક :                                                                     સરાસરી વિચલન :

X=A+                                                                                  M.D =

   = 20+-15/40x5                                                                          = 190.04/40

   = 20-15/8                                                                                 = 4.75

   = 20-1.88

સરાસરી વિચલનનું સાપેક્ષ માપ

(સરેરાશ વિચલનાંક) = ઠx/x = 4.75/18.12=0.262

સરાસરી વિચલનના ઉપયોગો :

૧. ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે.

૨. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.

૩. વિસ્તાર અને ચતુર્થકના પ્રમાણમાં આ માપ વધુ વિશ્વસનીય છે.

૪. સમાજશાસ્ત્રીય સમસ્યાઓના અભ્યાસમાં ઉપયોગી છે.

સરાસરી વિચલનના દોષો :

૧. માનાંક દ્વારા ચિન્હોની અવગણના વ્યાવહારિક નથી.

૨. પ્રસારના માપ તરીકે ઓછું પ્રચલિત છે.

૩. બેજિક પ્રક્રિયાઓ

પ્રમાણ વિચલન : (STANDARD DEVIATION S.D )

અર્થ :

     આપેલી શ્રેણીમાં પ્રાપ્તાંકોને તેના મધ્યકમાંથી લીધેલા વિચલોના વર્ગોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગી તેનું ધન વર્ગમૂળ લેતાં માપને પ્રમાણ વિચલન કહે છે. અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણ વિચલન શોધવું.

ઉદા. 1 30, 25, 15, 20, 38, 22, 11 પ્રાપ્તાંકોનું પ્રમાણ વિચલન શોધો.

અહીં મધ્યક =  30+25+15+20+38+22+11/7 = 161/7 = 23

 હવે વિચલન di= |xi-x| = |30-23| =7, |25-23|=2, |15-23|=+8, |20-23|=+3, |38-23|=15, |22-23|=+1, |11-23|=+12

           di = |xi-x| 2 = 49+4+64+9+225+1+144 =

માટે : S.D                     =

પ્રાપ્તાંક વર્ગ

આવૃત્તિ fi

વર્ગનીમ. (xi)

di=xi-A/i

fidi

fidi2

3-7

2

5

-3

-6

18

8-12

5

10

-2

-10

20

13-17

9

15

-1

-9

9

18-22

15

20

0

0

0

23-27

8

25

1

8

8

28-32

1

30

2

2

4

 

n=40

 

 

 

 મધ્યક :

X = A+

   = 20+-15/40x5

   = 20-15/8

   = 20-1.88

   = 18.12

પ્રમાણ વિચલન : 1.15x5=5.8

પ્રમાણ વિચલનનું સાપેક્ષ માપ : = (ચલનાંક) = SD/મધ્યક x 100 = 5.8/18.12 x 100 = 0.32 x 100 =32

પ્રમાણ વિચલનના ઉપયોગો/ગુણ

૧. સૌથી વધુ સ્થિર અને આધારક્ષમ સાંખ્યિકીથી પ્રાપ્તાંકોની ચલિતતા જાણવા માટે ઉપયોગી છે.

૨. છેડા પરના વિચલનોની ચલિતતા ઉપર વધુ મોટી અસર જોઈતી હોય ત્યારે ઉપયોગી છે.

૩. ચલિતતાનું સૌથી આધારભૂત માપ છે.

૪. નિદર્શની વધઘટથી અસર તેના પર ખાસ થતી નથી.

૫. તેની ગણતરીમાં બધા જ પ્રાપ્તાંકોનો ઉપયોગ કરવામાં આવે છે.

૬. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.

૭. સહસંબંધ, નિયતસંબંધ, વિષમતા, વિચલનનું પૃથક્કરણ વગેરેના અભ્યાસ માટે ઉપયોગી.

૮. પ્રમાણ વિચલન ફક્ત માધ્ય્કને આધારે શોધાતું હોય તેના જવાબોમાં એકસૂત્રતા જળવાય છે.

પ્રમાણ વિચલનની મર્યાદાઓ :

૧. તેની ગણતરી અન્ય પ્રસરનાં માપોની સરખામણીમાં કઠીન છે.

૨. આ માપ સામાન્ય આંકડાશાસ્ત્ર જાણનારને સમજવું મુશ્કેલ બને છે.

૩. આ માપ પર અંતિમ પ્રાપ્તાંકોને વધુ પડતું મહત્વ મળે છે.

૪. જયારે મધ્યકની નજીકના અવલોકનને ઓછું મહત્વ મળે છે.  




ગુરુવાર, 29 જુલાઈ, 2021

સેમીનાર : 105 – Seminar On Current Issues Education

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં સેમેસ્ટર - ૧ મા પ્રવર્તમાન સમસ્યા અને તેના ઉકેલ ઉપર સેમીનાર આપવાનો હોય છે. 

પ્રસ્તાવના :  

     ભારતીય સંસ્કૃતિની જાળવણીમાં સૌથી મોટો ફાળો શિક્ષણનો છે. ઋષિમુની અને સંતોની ભૂમિ એવા ભારતમાં એક સમયે ગુરુકુળો હતા જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થતો. અભ્યાસથી લઈને અન્ય દરેક કળામાં પારંગત બનવાની તાલીમ ગુરુકુળમાં અપાતી.

    સમયની સાથે શિક્ષણમાં પણ બદલાવ આવ્યો. આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ યુગનો વ્યાપ વધતા શિક્ષણમાં ધરમૂળ પરિવર્તનો થયા અને આવા પરિવર્તનને લઈને આખી શિક્ષણપ્રથા, માળખું અને માધ્યમો બધુંજ બદલાયું છે.

     ૨૧મી સદીના લોકોની ઊભી થયેલી જરૂરિયાતોએ ટેક્નોલોજીના ક્ષેત્રે અદ્દભૂત અને અદ્યતન શોધો કરી છે E-Book (ડિજિટલ પ્રકાશનો) અને E-Learning (ઇ-લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ સાધનોની મદદથી થતું અધ્યયન) સ્વીકારીને વિદ્યાર્થીઓ સમયની બચત સાથે આવશ્યક એવી માહિતીને વિવિધ સ્વરૂપોમાં મેળવી વિકાસ તરફ વેગીલા બન્યા છે.

      શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા માટે અને નવું સર્જન કરવા માટે પરિવર્તન એ પૂર્વશરત ગણાય છે. ૨૧મી સદી એટલે જ્ઞાનની સદી ટેક્નોલોજીના ક્ષેત્રે નૂતન આવિષ્કારની અપેક્ષાઓની સદી અને આ સમયમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી ડિજિટલ શિક્ષણ એ પોતાનો ડેરો જમાવ્યો છે. આજે ઉચ્ચશિક્ષણ પ્રક્રિયા દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણના વિશિષ્ટ ક્ષેત્રની મર્યાદા ઓળંગીને માસ-મીડિયા કોમ્યુનિકેશન એજ્યુકેશન નામકરણ અંતર્ગત હરણફાન ભરી રહ્યું છે. જે ડિજિટલક્રાંતિને લીધે શક્ય બન્યું છે.

     ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું શિક્ષણ એ નૂતન (Modern) શિક્ષણ ગણી શકાય કારણ કે આ શિક્ષણમાં કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ જેવા ડિજિટલ સાધનોની સાથે ઈન્ટરનેટનો સાથવારો જોવા મળે છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે અધ્યેતાને આપવામાં આવતા પુસ્તકથી માંડીને તેના વાંચન શીખવું, શીખવવું, લખાણ, મૂલ્યાંકન અને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે એટલે કે ICT (Infomation And Communication Technology) અને જુદા-જુદા સોફ્ટવેરથી કરવામાં આવે છે.

      આ ૨૧મી સદીનું શિક્ષણ એકદમ આધુનિક છે, તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓને નવી-નવી ટેક્નોલોજી અંગે પૂરતી માહિતી નથી હોતી તેથી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે.

     ૨૧મી સદીની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા આધુનિક યુગ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થી પક્ષે આ શિક્ષણ વ્યવસ્થા ફાયદાકારક પણ અને ગેરમાર્ગે પણ દોરી રહી છે. જેમાં વિદ્યાર્થીને સતત પરિશ્રમ કરવો પડે છે. ૨૧મી સદીની શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થી સ્વ-વિકાસ ભૂલી જઈને માત્ર તે અભ્યાસ કરે છે.

 

·       સમસ્યા – ૧ “વિદ્યાર્થીઓમાં ચિંતનાત્મક વાંચનનો અભાવ”

 

સમજૂતી : વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાલક્ષી જ વાંચન કરે છે. ઉપરાંત વિષયવસ્તુને બરાબર સમજતાં નથી અને ગોખણપટ્ટીનો સહારો લે છે. વિદ્યાર્થીઓએ જે પણ વાંચ્યું હોય તેને યાદ રાખવા સતત પુનરાવર્તન કરી ગોખણપટ્ટીને અનુસરે છે. આમ જોવા જઈએ તો, આ રીતે શીખવાથી યાદ તો રહે છે પરંતુ તેને સમજી નથી શકાતું. વિદ્યાર્થીઓ ઈત્તર વાંચન કરતા નથી. ગોખણપટ્ટીને કારણે વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી યાદ રહેતું નથી માત્ર પરીક્ષા સુધી યાદ રહેશે અને પછી બધું ભૂલી જશે.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   ગોખણ પદ્ધતિમાંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે, શાળામાં   ૧૦ જૂને જે એન્ટી રોટ ડે (ગોખણ વિરોધી દિવસ) ઉજવવામાં આવે છે, તે ઉજવવો જોઈએ જેથી ગોખવાની નહીં પરંતુ સાચી પદ્ધતિને પ્રોત્સાહન મળે.

Þ   શિક્ષકે વિદ્યાર્થીઓને ઈત્તર વાંચન કરવા માટે પ્રેરવા જોઈએ.

Þ   પાઠ્યપુસ્તકો અને નોંધોનું વર્તમાન કદ વિદ્યાર્થીઓને ડરાવી શકે છે, તેથી જ ટૂંકા, સંક્ષિપ્ત અને ઈન્ટરેક્ટિવ ઈ-પુસ્તકો પ્રદાન કરવા મહત્વપૂર્ણ છે.

Þ   અતિથિઓના વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ.

 

·       સમસ્યા – ૨ “ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓ”

 

સમજૂતી : ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમ કે વિદ્યાર્થી પોતાના સમયે વ્યવસ્થિત ભણી શકે છે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે. એનિમેશનવાળા વિડીઓથી ઘણું ઊંડાણથી સમજી શકે, અને વિદ્યાર્થીઓનો સમય, શક્તિ પણ બચે. પરંતુ આ રીતે વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સામે સતત બેસી રહે છે તેના કારણે આંખો ખરાબ થાય, માથાનાં દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે.

-    ઓનલાઇન શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓ એકલતામાં ધકેલાતા જાય છે.

-    વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે જે રીતે ભણે છે, એ રીતે ઓનલાઇન શિક્ષણમાં ભણી શકતા નથી.

-    વિદ્યાર્થીઓને શાળાના સોફ્ટવેર (Application) અને જોડાણ (Link) માટે મુશ્કેલીઓ ઉભી થાય છે.

-    ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છે, પરંતુ નેટવર્કના કારણે તેમને ઘણી તકલીફો પડે છે ઈન્ટરનેટનાં નેટવર્કના કારણે વિષય-વસ્તુ છૂટી જાય છે.

 

·       સમસ્યાનો ઉકેલ :

Þ શાળાના વિદ્યાર્થીઓને સોફ્ટવેર (Application) ઇન્સ્ટોલ કરતા શીખવવું અને માહિતી, માર્ગદર્શન આપવું જોઈએ.

Þ શિક્ષકોએ વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને વિદ્યાર્થીઓના અનુકૂળ સમયે ઓનલાઇન વર્ગો ચલાવવા આયોજન કરવું જોઈએ.

Þ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અંગે થતાં ફાયદા વિશે જણાવવું જોઈએ.

Þ ઓનલાઇન શિક્ષણ માટેનાં વિવિધ સોફ્ટવેર (Application) જેમ કે Byju’s, Vedant, Shala Mitra, Youth Education વગેરેથી વાકેફ કરવા જોઈએ.

Þ મહત્વના મુદ્દાનું પાવર પોઈન્ટ પ્રસ્તુતિ તૈયાર કરી, વિડિઓ અને અવાજ સાથે તૈયાર કરી સોફ્ટવેરની (Whatsapp)ની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવું જોઈએ.

·       સમસ્યા – ૩ “બિનલાયકાત શિક્ષકોથી વિદ્યાર્થીઓ પર પડતી અસર”

 

સમજૂતી : શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબદ્ધ ખૂબ મહત્વ છે. કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી.

-    બિનલાયકત ધરાવતા શિક્ષકો ગુણવત્તા સભર શિક્ષણ આપી શકતા નથી.

-    શિક્ષકોના કૌશલ્યને સુધારવા માટે યોગ્ય તાલીમની જરૂર હોય છે, બિન તાલીમ લીધેલા શિક્ષકો નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિશે વધારે જાણતા નથી હોતા.

-    બાળકના સર્વાંગી વિકાસને બદલે આખી વ્યવસ્થા પરીક્ષાલક્ષી બનીને રહી જાય છે.

-    બિનલાયકાત ધરાવતા શિક્ષકના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાય છે.

 

·       સમસ્યાનો ઉકેલ :

Þ   શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની જ ભરતી કરવી જોઈએ.

Þ   વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વૈવિદ્યને ધ્યાનમાં રાખી તેઓની વ્યક્તિગત અને સામાજિક વાસ્તાવિક્તાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ.

Þ   શિક્ષકોની ભરતી શિક્ષકોની યોગ્ય ક્ષમતા અનુસાર કરવી જોઈએ.

 

·       સમસ્યા – ૪ “શાળાઓના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે થતી સમસ્યાઓ”

 

સમજૂતી : કારકિર્દી માર્ગદર્શન વિના વિદ્યાર્થીઓ દિશાહીન બનતા હોય છે. પરિણામે શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળા છોડ્યા બાદ શું કરવું? તે અંગે સ્પષ્ટ હોતો નથી.

-    ઘણીવાર વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટેના કારકિર્દીના વિકલ્પો જ ખબર નથી હોતા.

-    શાળાઓમાં શિક્ષકોને જ કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયમાં કોઈ રસ નથી તેથી વિદ્યાર્થીઓ મુંઝવણો અનુભવે છે.

-    ઘણીવાર માર્ગદર્શનને અભાવે અયોગ્ય વિદ્યાશાખા પસંદ થઇ જતી હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને તેમાં રસ પડતો નથી અને પોતાની ઈચ્છા વિરુદ્ધના વિષયો તેમણે ભણવા પડે છે, જેના કારણે પરિણામ સારું આવતું નથી અને વિદ્યાર્થી મનોભાર અનુભવે છે.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   વિદ્યાર્થીઓને શાળાકીય જીવન દરમ્યાન શૈક્ષણિક તેમજ વ્યવસાયિક માર્ગદર્શન પણ આપવું જોઈએ.

Þ   વિદ્યાર્થીઓને ધ્યેયલક્ષી વ્યવસાયને અનુરૂપ માર્ગદર્શન આપવું જોઈએ.

Þ   વિદ્યાર્થીઓની કારકિર્દી માર્ગદર્શન અંગેની સમસ્યાઓ કઈ કઈ અને કેટલા પ્રમાણમાં છે? તે શિક્ષકે જાણી લેવું જોઈએ.

Þ   શિક્ષકે અનુભવ દ્વારા કારકિર્દીના વિચારો પર સ્થિરતા લાવવાના અવસરો પૂરા પાડવા જોઈએ.

Þ   વિદ્યાર્થીઓની અભિરૂચિ તેમજ અભિયોગ્યતાનું માપન કરીને તેને યોગ્ય વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનું શિક્ષણ આપવું જોઈએ.

 

·       સમસ્યા – ૫ “વિષયવાર શિક્ષકોના અભાવ થકી વિદ્યાર્થીઓ ઉપર જોવા મળતી સમસ્યા”

 

સમજૂતી : શાળાઓમાં વિભિન્ન વિષયોના શિક્ષકો નથી હોતા.

-    વિષયવાર શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી પ્રભાવિત નથી થતા.

-    અમુકવાર વિષય શિક્ષકોના અભાવને કારણે અન્ય વિષય, બીજા વિષયના શિક્ષકોને ભણાવવા માટે આપી દેવામાં આવે છે, તેના કારણે તે વિષયને વિદ્યાર્થીઓ બરાબર સમજી શકતા નથી.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   વિષયવાર શિક્ષકોની જ ભરતી કરવી જોઈએ.

Þ   જે શિક્ષકનો જે વિષય હોય તે વિષય જ ભણાવવા આપવો જોઈએ.

v  સમાપન :

     ૨૧મી સદીમાં શાળાઓમાં કે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું શિક્ષણ એ આધુનિક શિક્ષણ ગણી શકાય કારણ કે આ શિક્ષણમાં કમ્પ્યૂટર, ટેબલેટ જેવા ડિજિટલ સાધનોની સાથે ઈન્ટરનેટનો સથવારો જોવા મળે છે. પરંતુ તેની સાથે-સાથે ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળાઓમાં ૨૧મી સદીની સમસ્યાઓ પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓને જાણી-સમજીને આચાર્ય તથા શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 

 

 

સંદર્ભ સૂચિ :

·       આચાર્ય મોહિની (૨૦૦૮) શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર અમદાવાદ : અક્ષર પબ્લિકેશન.

·       ઉચ્ચાટુ ડી. એ. (૨૦૦૪) સંશોધન સમસ્યા પસંગીના અને સૈદ્ધાંતિક અને વ્યવહારું આધારો, રાજકોટ : પારસ પ્રકાશન.

·       ગુજરાત વિદ્યાપીઠ (૧૯૪૯) સાર્થ જોડણીકોશ, અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.

·       ધનવંત મ. દેસાઈ (૧૯૯૨) ભારતમાં ઉચ્ચત્તર કેળવણીની પ્રવર્તમાન સમસ્યાઓ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

·       www.yuvasathi.com (Yuva Sathi Gujarati Megezine)

·       www.dailyhunt.in

·       https://vikaspedia.in/education

·         https://www.dellaarambh.com/gujarati/post/rote-learning-vs-pc-enabled-learning (ગોખણપટ્ટી વી. પીસી-સક્ષમ શિક્ષણ)  

·         https://www.gujaratilexicon.com

·         https://kcgjournal.org issue30

·         https://1nbc8.blogspot.com

·         https://gu.eferrit.com

https://ik-ptz.ru/guj/matematika/ikt-v-obrazovanii-informacionnye-tehnologii-v

·          https://gujaratinfomation.net (ગુજરાતીઓનું વિશ્વસનીય સામાયિક)

·          https://kcgjournal.org issue16

·          https://www.jpsartsvalsad.com

·          https://www.natvpatelarts.edu.in

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...